Wednesday, May 23, 2018

51 કુંડી પીતાંબરા બગલામુખી મહાયજ્ઞ

*51 કુંડી બગલામુખી મહાયજ્ઞ*

           🌻✋🌻

*રાજકોટમાં*
*તા. 1 એપ્રિલ રવિવાર ના રોજ*
અત્યંત આનંદદાયક અને શ્રધ્ધાળુઓ માટે ફળદાયી ધર્મઉત્સવનું આયોજન કરાયું છે. શક્તિના ઉપાસકોમાં જેનું અનેરું મહત્વ છે, જેની આરાધનાથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ સંભવ બને છે અને બાહ્ય ઉપલબ્ધિઓની સાથે વ્યક્તિનો આંતરિક આધ્યાત્મિક વિકાસ પણ થાય છે એવાં...

મા પીતાંબરા-બગલામુખીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાનારા આ મહત્વના ધર્મકાર્ય માટેની તૈયારી તડામાર શરુ થઇ છે. 51 કુંડી મહાયજ્ઞની સાથે ફળાહાર-ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે.

*પીતાંબરા પીઠ શોધ સંસ્થાનના* ઉપક્રમે રાજકોટમાં યોજાઇ રહેલા પીતાંબરા બગલામુખી મહાયજ્ઞનું મહત્વ દુન્યવી અને અલૌકિક બન્ને રીતે અનન્ય રહેવાનું છે.

પીતાંબરામાનો જેમને સાક્ષાત્કાર હતો અને સિધ્ધિઓ મળ્યા પછી પણ જેમણે માની સેવા અને ભજન-ગરબામાં પોતાનું જીવન વિતાવ્યું એવા *પરમગુરુ કવિ સુમંતજી* દ્વ્રારા દિક્ષિત ગુરુ *મહેન્દ્રભાઇ રાવલ* ના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન થઇ રહ્યું છે.

દેશના અને સમાજના આંતરિક અને બાહ્ય શત્રુઓનું શમન થાય એ તો આ યજ્ઞ પાછળનો ઉદ્દેશ છે જ સાથોસાથ જેમને પણ આ તત્વ એકવાર સ્પર્શે એની માનવીય અને આત્મીય ઉન્નતિ આપમેળે શરુ થઇ જાય છે.

વિશ્ર્વશાંતિના કલ્યાણ અર્થે યોજાઇ રહેલા આ યજ્ઞમાં 51 કૂંડીમાં આહૂતિ આપવાની રહેશે, એનો અર્થ એ નથી કે ફક્ત 51 દંપતિ એમાં બેસશે. ભાઇ-બહેન, બે બહેન,બે ભાઇ એમ કોઇ પણ બબ્બે ભાવિક આ યજ્ઞનો લાભ લઇ શકશે.

1 એપ્રિલે યોજાનારા આ યજ્ઞ માટે અત્યાર સુધીમાં 23 નામ તો લખાઇ ચૂક્યાં છે. જેમને પણ આ લાભ લેવો હોય એ ભાવિકજન-માઇ બાળક

*હિમાંશુભાઇ જોશી*
(9824208503) અને
*હરેશભાઇ રાવલ*
(9228765173)નો સંપર્ક કરી શકે છે.

યજ્ઞમાં બેસનાર વ્યક્તિઓને ચા, બપોરે ફળાહાર અને રાત્રે ભોજન પ્રસાદ એમણે ફોર્મ સાથે આપેલા રુ. 2500/-અનુદાનમાં જ સમાવિષ્ટ કરીને આપવામાં આવશે, સાથે આવેલા મહેમાન માટે અલગથી ભોજન માટેના પાસ લેવાના રહેશે.

યજ્ઞમાં બેસનાર પ્રત્યેક ભાવિકને
*સિધ્ધ પીતાંબરા યંત્ર*,
*માતાજીનો સિધધ કરેલ ફોટો*
*સિધ્ધ કરેલ પીળી માલા*
*ઉપાસનાનું પુસ્તક*
સહિતની *વિશેષ કીટ* પણ પ્રસાદના સ્વરુપમાં આપવામાં આવશે. 

આ યજ્ઞ ઐતિહાસિક એટલે બની રહેશે કે યજ્ઞ દરમિયાન ઇચ્છા પૂર્તિ માટે પણ આહૂતિ અપાવાની છે.

પીતાંબરા તત્વ શું છે, ઉપાસકો કહે છે વર્તમાન સમયમાં બાહ્ય અને આંતરિક શત્રુઓ મોટા પ્રમાણમાં હોવાની શક્યતા છે. છૂપા હિતશત્રુઓથી બચવું પણ આવશ્યક છે. ઇર્ષા અને હરિફાઇને લીધે આવા શત્રુઓની સંખ્યા વધી જાય. કોર્ટ-કચેરી, કાયદાકીય ગૂંચ, સરકારી કામોમાં જીત મેળવવી પણ જરુરી છે.

આ તમામ મુશ્કેલીઓનો સચોટ ઉપાય પીતાંબરા માતાજીની આરાધનામાં છે.કળિયુગની *દસ મહાવિદ્યાઓમાં બગલામુખીનું સ્થાન વિશેષ છે. *મા બગલામુખીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે* આ યજ્ઞનું આયોજન કરાયું છે. વહેલો તે પહેલોના ધોરણે યજ્ઞ માટેના નામ નોંધવાના હોવાથી સત્વરે સંપર્ક કરવા પણ જણાવાયું છે.

*આ મેસેજ ખૂબ શેર કરવા વિનંતિ*
🙏🙏

*પીતાંબરા શોધ સંસ્થાન*
તથા
*પીતાંબરા પરિવાર - રાજકોટ*

No comments:

Post a Comment