Wednesday, February 21, 2018

આનંદનો ગરબો - એક ચમત્કારિક ઘટના


આનંદનો ગરબો - એક ચમત્કારિક ઘટના

આપણા ગુજરાત નું અમદાવાદ શહેર.
અને તેમાં આવેલું નવાપુરા ગામ.
એ ગામ માં એક ભટ્ટ મેવાડા બ્રાહ્મણ શ્રીહરિરામ ભટ્ટ અને ફૂલકોરબાઈ રહેતા.તેમના ઇષ્ટદેવ એકલિંગજી મહાદેવ છે.
તેમણે ૧૬૯૬- આસો સુદ આઠમ ( દુર્ગાષ્ટમી ) ના રોજ બે જોડિયા બાળકો ને જન્મ આપ્યો. જેમાં એકનું નામ વલ્લભરામ અને બીજાનું નામ ધોળારામ.

           બંન્ને બાળકો જયારે પાંચ વર્ષના થયા ત્યારે તેમને વિદ્યાભ્યાસ માટે પરમાનંદ બ્રહ્મચારી પાસે આશ્રમમાં ભણવા માટે મુકવામાં આવ્યા.પણ ખુબ પરિશ્રમ કરવા છતાંપણ એમણે વિદ્યાભ્યાસ નું જ્ઞાન આવ્યું જ નહિ.

હા, બંન્ને ભાઈઓ નમ્ર, વિવેકી અને શ્રદ્ધાળુ હતા. વિદ્યાભ્યાસ નું જ્ઞાન ન મળવાને લીધે ગુરુજીએ બંન્ને બાળકો ને બાલા ત્રિપુરા સુંદરી માં બહુચરનો બીજ મંત્ર આપ્યો. અને એ છે,

       “ *ઓમ ઐં ક્લી સૌ:*

         આ મંત્ર સાથે બંન્ને બાળકો પોતાના ઘરે ગયા. બંન્ને ભાઈઓ તેમની કાલીઘેલી વાણીમાં આખો દિવસ માં ના બીજમંત્રનું જપ કર્યા કરતા.તેઓના માતા – પિતા જાત્રાએ ગયેલ ત્યારે માં બહુચર  “ *બાળા*“ સ્વરૂપે પ્રગટ થયા. માનું જાજરમાન તેજસ્વીરૂપ ન જોઈ શકવાના કારણે બંન્ને ભાઈઓ આંખો બંધ કરીને માં ને પૂછવા લાગ્યા કે આપ કોણ છો...? ત્યારે માં એ ભાઈઓને ઓળખ આપી કે હું તમારી માં છુ.

ત્યારબાદ બંન્ને ભાઈઓને ઈચ્છિત વરદાન માગવા કહ્યું. માં ને પ્રત્યક્ષ નજરો-નજર નિહાળ્યા બાદ બંન્ને ભાઈઓના હૃદય પુલકિત થઇ ગયા. અને રોમે-રોમ આનંદિત થઇ ઉઠ્યું.

         માં એ ફરીથી એમને કહ્યું કે માગો – માગો જે જોઈએ તે આપું. પરંતુ માના દર્શન માત્રથી જ આનંદ મળવાના કારણે બંન્ને ભાઈઓ માની સમક્ષ કઈ બોલી કે માંગી ના શક્યા. ત્યારે માં એ ત્રીજી વખત કહ્યું કે બેટા માગ, માંગે તે આપું. ત્યારે વલ્લભરામે માતાજીને વિનંતી કરી કે હે માં...!!! આપના દર્શન માત્રથી અમારા જીવનમાં આનંદ, આનંદ, અને માત્ર આનંદ જ છવાઈ ગયો છે અમને જે આનંદ પ્રાપ્ત થયો એવો આનંદ સૌને મળે એવું કઈક આપો.

ત્યારે માં એ કહ્યું કે તમે મારા આનંદ ના ગરબા ની રચના કરો, પણ વલ્લભરામે કહ્યું કે હે માં...!!! અમે તો અભણ છીએ તો કેવી રીતે ગરબાની રચના કરી શકીએ ? ત્યારે માં એ વલ્લભરામને કહ્યું કે હું સરસ્વતી સ્વરૂપે જીભનાં અગ્રભાગ પર બિરાજમાન થઈશ એમ કહી માં એ તેમની ટચલી આંગળી વલ્લભરામની જીભના અગ્રભાગ પર મુકી ત્યારબાદ જે કઈ પણ તેમના દ્વારા રચનાઓ થઇ તે અલૌકિક અને અકાલ્પનિક છે.

     આનંદ ના ગરબા ની રચના શ્રી વલ્લભરામે માત્ર ૧૨ વર્ષ , ૪ મહિના, ૨૬ દિવસની નાની કિશોર અવસ્થામાં વિક્રમ સંવત ૧૭૦૯ના ફાગણ સુદ ત્રીજ (૩) ને બુદ્ધવારે કરી

છેલ્લા ૩૬૬ વર્ષથી સતત ભક્તો ને આનંદ જ આપ્યા કરે છે. આનંદ ના ગરબા ની ૧૧૬ મી પંક્તિ માં લખવામાં આવ્યું છે કે,

        “ સવંત સતદશ સાત, નવ ફાલ્ગુન સુદે માં
       તિથી તૃતીયા વિખ્યાત ,શુભ વાસર બુધ્ધ

           આ ગરબા માં ત્રણ લોક, ત્રણ શક્તિ, કોટી કલ્પ, ચૌદ ભુવન, ચૌદ વિદ્યા, ચાર વેદ, પંચ મહાભૂત, ચાર યુગ, ત્રણ જીવ, ત્રણ વાયુ, ત્રણ ગુણ, ત્રણ દેવ, દસ અવતાર,  નવધા ભક્તિ, ધર્મ ના બે સિદ્ધાંત, ચૌદ રત્નો, ચૌર્યાશી સિદ્ધો, પાંચ પાંડવ, અઢાર પુરાણ, છ શાસ્ત્ર, ત્રણ કાળ, છ ઋતુ, છ રસ, બાર માસ, પાંચ અમૃત ( પંચામૃત ), ચાર શત્રુ, સાત ધાતુ, પાંચ રંગ, આઠ નગ ( પર્વત ), સાત સરિતા, અઢાર ભાર વનસ્પતિ, ચાર વર્ણ, ચૌદ ઇન્દ્રિયો, ચોર્યાશી લાખ જંતુઓ, નવ ખંડ, ત્રિભેટ, દસ દિશા, ચાર મંગળ, સાત સાગર,

આનંદ નો ગરબો કરવાથી મળતું ફળ :-

+ નિર્ધન ને ધન પ્રાપ્ત થાય
+ રોગીઓના રોગ દુર, દુ:ખ , દર્દ દુર થાય
+ શેર માટીની ખોટ પૂરી થાય,
+ કેન્સર, ડાયાબીટીશ જેવા ભયંકર અને મોટા રોગો દુર થાય,
+ આંખ, કાન, નાક, વાચા, વાણી ની તકલીફો દુર થાય,
+ મનોવાંછિત ફળની પ્રાપ્તિ

।।  जय मां पीताम्बरा बगलामुखी  ।।

No comments:

Post a Comment